6 સપ્ટેમ્બર 2023 ની વહેલી સવારે આર. સી મિશન પ્રાથમિક શાળા વડતાલમાં દ્વિતીય સંગમ યોજાયો. શાળાના આચાર્યશ્રી અનિકેતન ડાભીનો જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ આવતી કાલે કૃષ્ણ ભગવાનનો નો જન્મ દિવસ છે. બંને પ્રસંગની ઉજવણી બાળકો તથા શિક્ષકો દ્વારા કરવામાં આવી ક્રમશઃ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. આચાર્ય સાહેબને સૌથી પહેલા શિક્ષક મિત્રો તથા બાળમિત્રો દ્વારા પુષ્પગુચ્છથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. વિકાસ સાહેબ દ્વારા કૃષ્ણ ભગવાનનો જન્મ ગોકુળમાં થયો હતો તેઓ દ્વારા જે કંઈ બાળ લીલાઓ કરી હતી તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી દ્વારા હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી સુંદર ભજન ગવડાવવામાં આવ્યું હતું. કૃષ્ણ ભગવાન તથા રાધાજીનો રોલ અદા કરનાર નેહા, ભવ્ય, અવની, શિવાની,. રીયા, ધ્રુવી, પ્રદીપ, ગોપાલ, કેવલ, કવ્યા, વિષ્ણુ, પ્રિયાંશી, યુવરાજ, અદા કર્યો હતો પ્રાર્થના સંચાલન વિકાસ સર દ્વારા બાળમિત્રો ની સુંદર તસ્વીર ડૉ. શૈલેષ વાણીયા શૈલ લેવામાં આવી હતી. અંતમાં વંદે માતરમ ગાઈ વર્ગ ખંડની અંદર ગયા હતા અનોખી ઉજવણી શાળા કક્ષાએ જોવા મળે.