GUJARATMULISURENDRANAGAR

ખંપાળીયા કોલસાની ગેરકાયદેસર ખાણોમાં ત્રણના મોત મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરવા રજુઆત

ફરીયાદીને આજે કોર્ટ મુદત હોય ફરાર આરોપી દ્વારા ધમકી મળતા લીંબડીથી થયા પરત

તા.19/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગત 24 જાન્યુઆરીના રોજ ખંપાળીયા ગઢડા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણમાં કામ કરતાં મજુરો ઉપર ભેખડ ધસી પડવાથી 3 મજુરના મોત થયા હતા જેમાં દાહોદના મજુર એવા અનિલભાઈ ખરાડ દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ દ્રારા આજે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હોય તેઓ દાહોદ થી સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટમાં હાજરી આપવા માટે આવવા નિકળેલ હોય ત્યારે આ કેસના મુખ્ય આરોપી એવા શામજીભાઈ ધીરુભાઈ ઝેઝરીયા જેઓ હાલ પોલીસ પકડથી દૂર હોય ત્યારે તેઓની ધમકીના કારણે ફરિયાદીને લીંબડી થી પરત ફરવું પડેલ હોય આ કેસ બાબતે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ થ‌ઈ ચુકી છે તેઓ જેલ હવાલે હોય તેમાં આરોપી તરફથી જામીન અરજી મુકવામાં આવતા કોર્ટ સમન્સ પાઠવવામાં આવ્યું હોય અને ફરિયાદીને હાજર રહેવા જણાવેલ ત્યારે દાહોદના ફરિયાદી હોય અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ સબંધી ન હોય અને ફરાર આરોપી શામજીભાઈ ધીરુભાઈ ઝેઝરીયા અન્ય માણસો દ્વારા ટેલીફોનીક ધમકી આપતા હોય ત્યારે અમારા જાનનું જોખમ હોય માટે અમો વકીલને મળી પરત ફરવાની ફરજ પડી છે આ કેસમાં મુખ્ય આરોપી શામજીભાઈ ઝેઝરીયા હોય પરંતુ પોલીસ તેઓની ધરપકડ આજદિન સુધી દુર છે અને તેઓ દરરોજ હોટલ ઉપર હોય છે જેના પણ વિડીયો વાયરલ થયો છે તેમ છતાં આજદિન સુધી મુખ્ય આરોપીની ધરપકડ કેમ કરવામાં આવતી નથી? તેમ દાહોદના ફરિયાદી અનિલભાઈ ખરાડે જણાવ્યું હતું અને અમને આ આરોપી ગમે ત્યારે હુમલો કરી શકે તેમ છે અમારા જીવનું જોખમ છે તેમ રજુઆત પણ કરનાર છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!