CHUDAGUJARATSURENDRANAGAR

ચુડા મામલતદાર કચેરીમાં આવેલા શૌચાલયમાં તાળાં લાગતાં અરજદારો હેરાન પરેશાન

તા.27/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના દરેક વિસ્તારમાંથી ચુડા મામલતદાર કચેરીએ લોકો સરકારી કામ કે અન્ય જેમ કે ઈ ધરામા જમીન બાબતે તેમજ અન્ય પ્રોપર્ટી ખરીદ વેચાણ કરવા આ કચેરીએ ફરજીયાત આવવુ પડે છે આ ઉપરાંત રેશનકાર્ડમા નામ કમી કરવા નવા નામ દાખલ કરવા લોકો આવતા હોય છે કોઈ ગુના હેઠળ પોલીસ સ્ટેશન કે કોર્ટના કામ માટે શાળાઓમાં ચાલતી મધ્યાન ભોજન યોજનાકીય સહિતના કામો અહીંયા કરવામાં આવે છે આવા અનેક કામ માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો છેવાડા વિસ્તારથી લઈ અનેક અરજદાર આવે છે અને સવારથી કચેરીના બંધ થવાના સમય દરમિયાન કામ અર્થે લોકો પોતાના કામ માટે કામની રાહમા બેસે છે તેમજ કામ ન પતે તો ફરી અધિકારીઓએ સુચવેલા સમયસર અરજદારો હાજર હોય છે આથી આવા દિવસ દરમિયાન લોકોને કુદરતી હાજતે જવા માટે શૌચાલયનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ કચેરીમાં આવેલા યુરીનલમાં પાણીની સુવિધા નથી તેમજ શૌચાલયને તાળુ લટકતુ હોવાથી મહિલાઓ તેમજ પુરૂષ અરજદારને ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે આથી જવાબદાર અધિકારીઓએ તપાસ કરીને લોકોને પડતી હાલાકી અંગે ઘટતુ કરે એવી લોકોમાં માંગ ઉઠી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!