LIMKHEDA

લીમખેડા માં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્ત રેલીનું આયોજન કરાયું

ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ રેલીનું આયોજન….

” વ્યસન સે બચાઓ,સૃજન મે લગાઓ,” તમાકુને કહો ‘ના’ જિંદગીને કહો ‘હા’ના સૂત્ર સાથે આજરોજ 31 મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અને વ્યસન મુક્તિ સપ્તાહના સમાપન પ્રસંગે લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર,યુવા પ્રકોસ્ટ અને વહીવટી તંત્ર,તાલુકા પંચાયત કચેરી લીમખેડા દ્વારા લીમખેડા ખાતે વિશાળ વ્યસન મુક્તિ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તાલુકા પંચાયત કચેરી લીમખેડા ખાતે ગાયત્રી પરિવારનાં વરિષ્ઠ પરિજનો,તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એન.રાઠવા,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.સી.એમ.મછાર, અને હિન્દુ યુવા વાહિનીનાં અધ્યક્ષ શ્રી રિંકેશભાઇ પ્રજાપતિ દ્વારા દીપ પ્રગટાવીને,ફ્લેગ ઓફ કરીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.રેલી દરમિયાન ગાયત્રી પરિવારનાં ભાઈ-બહેનો દ્વારા વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે ચિત્ર પ્રદર્શન,સૂત્રો, જયઘોષ નાં માધ્યમથી જનજાગૃતિના પ્રયાસ કરવામાં આવ્યા.
વ્યસન મુક્તિ જનજાગૃતિ રેલીનું સંકલ્પ સભાના સ્વરૂપે પ્રગતિ હાઈસ્કૂલ લીમખેડા ખાતે સમાપન કરવામાં આવ્યું હતુ.જેમાં વ્યસન મુક્તિ માટેનો પ્રેરક સંદેશો ગાયત્રી પરિવાર યુવા પ્રકોસ્ટ,દાહોદ જિલ્લાના સંયોજકશ્રી અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં લીમખેડા સહિત આસપાસની શાખાઓના પરિજન ભાઈ-બહેનો,આશા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરેશ પટેલ લીમખેડા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!