JETPURRAJKOT

૨૪ મે ના રોજ રાજકોટ જિલ્લાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

તા.૧ મે

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લાનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪.૦૫.૨૦૨૩, બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાશે, જેમાં અરજદારે રજૂ કરવાના પ્રશ્નો બે નકલમાં સંબંધિત તાલુકા મામલતદારને તા.૧૦-૦૫-૨૦૨૩ સુધીમાં મોકલી આપવાના રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરી શકાશે નહિ. પ્રથમવાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજુ કરી શકાશે નહિ. અરજદાર એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે તથા અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. તેમ કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!