સોમનાથ તીર્થધામ ખાતે તારીખ ૯ જાન્યુઆરી મંગળવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રેરિત શાકોત્સવ અને સત્સંગસભાનું આયોજન કરેલ છે. ભગવાનશ્રી સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પહેલા એક એવો દિવ્ય અને અદભુત ઉત્સવ કર્યો હતો જે આજે પણ ભક્તિ ભાવપૂર્વક ઉજવાય છે. સોમનાથના ગુરુકુળ ખાતે ઉજવવામાં આવનાર આ ઉત્સવમાં સત્સંગ સભાનું પણ આયોજન કરાયું છે. જેમાં સ્વામી ભક્તિકિશોરદાસજી જુનાગઢ પ્રેરક સંબોધન કરશે અને વિશેષ ઉપસ્થિતમાં સ્વામી માધવપ્રસાદદાસજી – ડભાણ શા. સ્વા. પુરષોત્તમચરણદાસજી – ઝુંડાલ સ્વામી રામસ્વરૂપદાસજી – જુનાગઢ સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી- જુનાગઢ અને ચંદ્રકાંતભાઈ દામાણીની રહેશે. સત્સંગસભા સવારે 9:00 થી 11:30 કલાક રહેશે તેમ સ્વામી ધર્મકિશોરદાસજી અને સ્વામી સૂર્યપ્રકાશ દાજીએ નિમંત્રણ પાઠવેલ છે.
વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.