NAVSARI

નવસારી: પ્રેમલગ્ન બાદ પત્ની પર શંકા કરી મારઝૂટ કરતા પીડિત મહિલાની મદદે મહિલા અભયમ ટીમ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી નજીકના વિસ્તારમાં રહેતા પતિને પત્ની પર વહેમ (શંકા) થતા શારિરીક અને માનસિક રીતે હેરાન કરતા હતો. જેથી મહિલાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમની મદદ માંગી હતી. અભયમ ટીમ સ્થળ પર પહોંચીને કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યુ હતું કે મહિલાએ તેમના ફળિયામાં જ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ થયા બાદ તેઓ એકબીજા પર વહેમ કરીને ઝગડો કરતા હતા. ઘરમાં પણ નાની-નાની બાબતોને લઈને ને ઝગડા થતા હતાં. મહિલા નોકરી કરવા માટે બહાર જતી જેથી તેમને બીજા સાથે આવવા જવાનું અને ફોન પર વાતો થતી જેથી પતિ તેમના પર વધુ શંકા કરતા હતાં અને પત્નીને ઘરેથી એકલા જવા દેતા ન હતા.
વધુમાં પતિ તેના પિયરમાં જવાની પણ ના પાડતો હોવાથી બંને વચ્ચે ઝગડો થતો. ૧૮૧ અભયમ ટીમે બંને પક્ષને સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપી સમજાવ્યા હતાં. તેમજ પતિને જણાવ્યું કે કારણ વગર પત્ની પર શંકા કરવી યોગ્ય નથી અને હાથ ઉપાડવો એ ગુનો બને છે. તેમ જણાવી પતિને કાયદાકીય સમજ આપતાં તેમણે પોતાની ભુલ સ્વીકારી માફી માગતાં બંને પક્ષની સંમતિથી સમાધાન કરાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!