NAVSARI

નવસારીના દાંડી ગામના બસ સ્ટેશન તથા જાહેર સ્થળો પર ગ્રામજનો દ્વારા સાફ સફાઇ કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  આ અભિયાનમાં નવસારી જિલ્લાના ગ્રામજનોની જન ભાગીદારી થકી વધુ વ્યાપક અને અસરકારક બન્યું છે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવસારી  જિલ્લામાં જલાલપોર તાલુકાના દાંડી ગામના બસ ડેપો ખાતે સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત દાંડી ગામના જાહેર સ્થળો પર  પણ ગ્રામજનો દ્વારા ઉત્સાહભરે સહભાગી થઈને સ્વચ્છતા ઝુંબેશને  વેગવંતી બનાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!